Namo Lakshmi Yojana | નમો લક્ષ્મી યોજના

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં કન્યાઓના પ્રવેશ અને કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાના હેતુસર રૂ. 1,250/- કરોડ ફાળવીને “નમો લક્ષ્મી યોજના | Namo Lakshmi Yojana” શરૂ કરી છે. આ યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ આશરે 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને આર્થિક રીતે ફાયદો મળે અને નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરી શકાય તે માટે છે.

નમો લક્ષ્મી યોજના
ગુજરાતી અને અંગ્રેજી
https://gujarat-education.gov.in/education/Portal/News/530_1_5297_CHHBranch_12032024.pdf
કન્યાઓ વધુ પ્રમાણમાં શાળામાં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાના હેતુસર
ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી વિધાર્થીનીઓ
વિધાર્થીનીઓને કુલરૂ. ૫૦,૦૦૦/- ની સહાય ની સહાય મળવાપાત્ર થાય
આ પોસ્ટ મા અરજી કરવાના પગલા નીચે દર્શાવેલા છે.
Apply Now

Objective of Namo Lakshmi Yojana | નમો લક્ષ્મી યોજના નો મુખ્ય ઉદ્દેશ

રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણમાં 100% નામાંકન અને કન્યા કેળવણી માટે અસરકારક અને કન્યાઓને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્ય માટે પૂરતી વ્યવસ્થા કરી શિક્ષણ સાથે તેમનું સશક્તિકરણ થાય તે માટે આર્થિક સહાય આપવાની યોજના શરૂ કરી છે.

Features of Namo Lakshmi Yojana | નમો લક્ષ્મી યોજનાની વિશેષતાઓ

મળવાપાત્ર કુલ રૂ. ૫૦,૦૦૦/- ની સહાયની વિગતો નીચે મુજબ છે:

સહાય
રૂ. 500/- દર મહિનેધોરણ ૯માં ૧૦ માસ માટે (કુલ સહાય ૫,000/-)
રૂ. 500/- દર મહિનેધોરણ ૧૦માં ૧૦ માસ માટે (કુલ સહાય ૧0,000/-)
રૂ. 10,000/-ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ (કુલ સહાય ૨0,000/-)
રૂ. 750/- દર મહિનેધોરણ ૧૧માં ૧૦ માસ માટે (કુલ સહાય ૨૭,૫00/-)
રૂ. 750/- દર મહિનેધોરણ ૧૨માં ૧૦ માસ માટે (કુલ સહાય ૩૫,000/-)
રૂ. 15,000/-ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ (કુલ સહાય ૫0,000/-)

નોંધ: સહાય મળવા પાત્ર વિદ્યાર્થીનીઓની દરેક મહિનાની હાજરી સરેરાશ ૮૦% હોવી જોઈએ

Main Benefits of Namo Lakshmi Yojana | નમો લક્ષ્મી યોજનાના મુખ્ય લાભો:

  • 1. કોઈ પ્રોસેસિંગ ફી નથી: આ યોજના લોન અરજી માટે કોઈ પ્રોસેસિંગ ફી વસૂલતી નથી.
  • 2. રિપીટર વિદ્યાર્થિની: તેઓને પાત્રતા હેઠળ સહાય મળતી રહેશે.
  • 3.અન્ય સ્કોલરશિપ: આ યોજના અન્વયે મેળવેલી સહાય સરકારની અન્ય સ્કોલરશિપ સાથે વધારાના લાભ તરીકે મળશે.
  • 4. દરેક મહિને મળશે સહાય: DBT દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક મહિનાની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં માતાના બેન્ક ખાતામાં રકમ જમા થશે, જે કિસ્સામાં માતા હયાત ન હોય તો રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા થશે.
  • 5. પ્રાઈવેટ શાળામાં ભણતી વિધાર્થીનીઓ માટે આવક મર્યાદા 6 લાખ: જે વિદ્યાર્થિનીઓની કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોય તેમને પણ આ લાભ મળી શકશે.

Eligibility of of Namo Lakshmi Yojana | નમો લક્ષ્મી યોજનાની પાત્રતા:

  • ગુજરાત બોર્ડ (GSHSEB) અથવા સેંટ્રલ બોર્ડ(CBSE)  દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરે છે.
  •  પાત્રતા:
    • જે વિદ્યાર્થિનીઓએ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૮ પૂર્ણ કરેલ હોય અથવા
    • જે વિદ્યાર્થિનીઓએ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલ હોય અથવા
    • પ્રાઈવેટ શાળામાં ભણતી વિધાર્થીનીઓ કે જે વિદ્યાર્થિનીઓની કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોય.

Exclusion of Namo Lakshmi Yojana | નમો લક્ષ્મી યોજનાનીમા બાકાત

  • જે વિદ્યાર્થિનીઓની પ્રાઈવેટ શાળામાં ભણતી હોય અને કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી વધુ હોય.
  • જે વિદ્યાર્થિનીઓની ગુજરાત બોર્ડ (GSHSEB) અથવા CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓ સિવાયની શાળામાં ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતી હોય.તેમને લાભ મળશે નહીં.

Application Process of Namo Lakshmi Yojana | નમો લક્ષ્મી યોજનાની અરજી પ્રક્રિયા

  • આ યોજનાનું અમલીકરણ શાળાઓના નિયામક દ્વારા થશે.
  • સત્રના પ્રથમ મહિના દરમ્યાન ચકાસણી બાદ જમા કરાવાશે.
  • સહાય મળવા પાત્ર વિદ્યાર્થીનીઓની દરેક મહિનાની હાજરી સરેરાશ ૮૦% હોવી જોઈએ
  • DBT દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક મહિનાની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં માતાના બેન્ક ખાતામાં રકમ જમા થશે, જે કિસ્સામાં માતા હયાત ન હોય તો રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા થશે.
  • શાળાઓએ CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓની નોંધણી કરવી પડશે.
  • પાત્રતા ધરાવતી વિદ્યાર્થિનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ થશે.
  • રિપીટર વિદ્યાર્થિનીને પાત્રતા હેઠળ સહાય મળતી રહેશે.
  • બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી સહાય મળી શકશે.
  • આ યોજના અન્વયે મેળવેલી સહાય સરકારની અન્ય સ્કોલરશિપ સાથે વધારાના લાભ તરીકે મળશે.

Documents required for Namo Lakshmi Yojana | નમો લક્ષ્મી યોજના માટે જરૂરી દસ્તાવેજો

જરૂરી દસ્તાવેજોની યાદી

  • વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
  • વિધાર્થીનીનું માતાનું આધાર કાર્ડ
  • જન્મનું પ્રમાણપત્ર
  • શાળા બોનાફાઇડ પ્રમાણપત્ર
  • વિધાર્થીનીની માતાની બેંક પાસબુક
  • માતા હયાત ના હોય તો તેવા કિસ્સામાં વિધાર્થીનીની બેંક પાસબુક
  • વિધાર્થીનીઓ ધોરણ ૮માં  ખાનગી શાળામા અભ્યાસ કરતી હોય તો ૬ લાખથી ઓછી આવકનો દાખલો

 

વ્હાલી દીકરી યોજના 2024 માટે રૂ. 1,10,000/- ની સહાય આપતી ગુજરાત સરકારની યોજના અંગે માહીતી મેળવવા માટે અહિ ક્લીક કરવું.

Namo Lakshmi Yojana

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

1. "નમો લક્ષ્મી યોજના" શુ છે?

જવાબ: કન્યા કેળવણી માટે અસરકારક અને કન્યાઓને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવા અને કન્યાઓના પોષણ અને આરોગ્ય માટે પૂરતી વ્યવસ્થા કરી શિક્ષણ સાથે તેમનું સશક્તિકરણ થાય તે માટે આર્થિક સહાય આપવાની યોજના છે.

2. આ યોજના હેઠળ કુલ કેટ્લી સહાય મળશે?

જવાબ: આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓ 4 વર્ષ દરમ્યાન કુલ 50000/-ની સહાય મળશે.

3. સહાય મળવા પાત્ર વિદ્યાર્થીનીઓ માટેની મુખ્ય શરતો કઈ છે?

જવાબ: જે વિદ્યાર્થિનીઓએ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૮ પૂર્ણ કરેલ હોય અથવા જે વિદ્યાર્થિનીઓએ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલ હોય અથવા જે વિદ્યાર્થિનીઓ ધોરણ ૮ સુધી ખાનગી શાળામા અભ્યાસ કર્યો હોય કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોય. અને સહાય મળવા પાત્ર વિદ્યાર્થીનીઓની દરેક મહિનાની હાજરી સરેરાશ ૮૦% હોવી જોઈએ

4. શુ રિપીટર વિદ્યાર્થિનીને આ યોજનાનો લાભ મળશે?

જવાબ:  હા, પાત્રતા ધરાવતી રિપીટર વિદ્યાર્થિનીને આ યોજના હેઠળ સહાય મળશે.

5. સહાય મળવા પાત્ર વિદ્યાર્થીનીઓને રૂપિયા કેવી રીતે મળશે?

જવાબ: DBT દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક મહિનાની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં માતાના બેન્ક ખાતામાં રકમ જમા થશે, જે કિસ્સામાં માતા હયાત ન હોય તો રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા થશે.

6. આ યોજનાનુ અમલીકરણ કઈ રીતે થશે?

જવાબ: આ યોજનાનું અમલીકરણ શાળાઓના નિયામક દ્વારા થશે. શાળાઓએ CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓની નોંધણી કરવી પડશે. પાત્રતા ધરાવતી વિદ્યાર્થિનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ થશે.

7. અન્ય કોઇ સ્કોલરશીપ/શિષ્યવ્રુત્તિ સાથે આ યોજનાનો લાભ મળશે?

જવાબ:હા, આ યોજના અન્વયે મેળવેલી સહાય સરકારની અન્ય સ્કોલરશિપ સાથે વધારાના લાભ તરીકે મળશે.

8. આ યોજના માટે અરજી કરવા માટે જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કેટલી છે?

જવાબ:આ યોજના માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થિનીએ ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.

9. શુ આ યોજનાનો લાભ મળશેછોકરાઓ અને છોકરીઓ બન્નેને મળશે?

ના, આ યોજનામાં ફ્ક્ત છોકરીઓને જ લાભ મળશે.

Leave a Comment

You may also like

Krushi Mahotsav

Krushi Mahotsav

Krushi Mahotsav | કૃષિ મહોત્સવ યોજના ગુજરાતની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે: સોઇલ હેલ્થ કાર્ડ: સરકાર ખેડૂતોને તેમની જમીનના પોષક તત્વોની સ્થિતિને સમજવામાં અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પગલાં ભરવામાં મદદ કરવા માટે સોઇલ હેલ્થ કાર્ડ પ્રદાન કરે છે. સબસિડીવાળા ઇનપુટ્સ: સરકાર ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઇનપુટ્સનો ઉપયોગ કરવા અને તેમની પાકની ઉપજ વધારવા માટે પ્રોત્સાહિત કરવા […]

PM-YASASVI

PM YASASVI Post-Matric Scholarship SCHEME

“PM YASASVI” (PRIME MINISTER YOUNG ACHIEVERS’ SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR EBC, OBC & OTHERS) સ્કીમનું ઉદ્દેશ્ય એ છે કે અધર બેકવર્ડ ક્લાસ (OBC), ઈકોનોમીકલી બેકવર્ડ ક્લાસ (EBC), અને ડિનોટીફાઈડ ટ્રાઇબ્સ (DNT) ના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સહાયતા પૂરી પાડી શકે જેથી તેઓ ટ્યુશન ફી અને અન્ય શૈક્ષણિક ખર્ચ વિના ટોચની સંસ્થાઓમાં શિક્ષણ મેળવી […]

free coaching neet jee

Coaching Assistance Scheme FOR NEET JEE GUJCET

આ યોજના “અનુસૂચિત જાતિ (Schedule Cast) ના વિદ્યાર્થીઓ માટે NEET JEE GUJCET જેવી પૂર્વ-પરીક્ષા તૈયારી માટે “Coaching Assistance Scheme” વર્ષ 2014-15 દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને Coaching સહાયતા પૂરી પાડવાનો છે, તેમાં વિદ્યાર્થીઓ કે જેઓ NEET JEE GUJCET  જેવી પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે તેમને સહાય આપવામાં […]

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp