શિક્ષણલોન પર સબસિડી | Interest Subsidy on Education Loan

શિક્ષણલોન સબસિડી યોજના ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વ્યાજ મુક્ત શૈક્ષણિક લોન મળે તે માટે છે. ઘણા વિદ્યાર્થીઓના વાલીની આવક ઓછી હોવાને કારણે વિદ્યાર્થી પોતાના મનપસંદ અભ્યસક્રમમાં પ્રવેશ મેળવવામાં ખચકાટ અનુભવે છે અને પોતાની કારકિર્દીને યોગ્ય દિશા આપવાથી વંચિત રહી જાય છે. જેથી આવા વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયની જરૂર પડે છે. જેથી રાજ્ય સરકારે કોઈપણ વિદ્યાર્થી આર્થિક રીતે નબળો હોવાના કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહેવો જોઈએ નહિ તેવા આશયથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવા માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ/યોજનાઓ અમલમાં મુકી છે.

જે પૈકી એક યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY)  જે હાલમાં ચાલુ જ છે અને આ ઉપરાંત ચાલુ વર્ષે રાજ્ય સરકારે એજ્યુકેશન લોનની યોજના બનાવી વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ લોન પર મોરેટોરિયમ પિરીયડ(અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ)સુધી વ્યાજ સબસીડીરૂપે આપીને આર્થિક સહાય કરવાની યોજનાને મંજૂરી આપી છે

શિક્ષણલોન પર સબસિડી યોજના | Interest Subsidy scheme on Education Loan
ગુજરાતી અને અંગ્રેજી
અભ્યાસક્રમ અર્થે લીધેલ લોનનો ઉપાડ ઠરાવ https://governmenttopnews.com/wp-content/uploads/2024/05/Final-Education-Loan-Booklet-Gujarati-4.1.18.pdf
રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધાર્થીઓની કારકીર્દીના ઘડતર માટે આર્થિક સહાય કરવાનો છે.
ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતા વિધાર્થીઓ ને.
મોરેટોરીયમ પીરીયડ અનુસાર વ્યાજ માફી અને અભ્યાસક્રમ પૂરો થયા પછી એક વર્ષ સુધી ચાલુ રહેશે.
https://kcg.gujarat.gov.in/education_loan/
અરજી કરવાના steps આ પોસ્ટ મા નીચે દર્શાવેલા છે.
Apply now button link

Objective of Interest Subsidy on Education Loan scheme | શિક્ષણલોન પર સબસિડી યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો

મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.

  • મહ્તમ રકમ: 10 લાખ સુધીની શિક્ષણ લોન પર સબસિડી ઉપલબ્ધ છે.
  • વાર્ષિક વ્યાજ ચુકવણી: દર વર્ષની 31મી માર્ચના અંતે અરજદારના લોન ખાતામાં વ્યાજ સબસિડી જમા કરવામાં આવશે.
  • કોઈ પ્રોસેસિંગ ફી નથી: સ્કીમ લોન એપ્લિકેશન માટે કોઈ પ્રોસેસિંગ ફી વસૂલતી નથી.

Eligibility of Interest Subsidy Scheme on Education Loan | શિક્ષણ લોન પર સબસિડીની યોજનાની યોગ્યતાના માપદંડ

  • 60 કે તેથી વધુ પર્સેન્ટાઈલ સાથે 12મું ધોરણ પાસ કર્યું.
  • કુટુંબની આવક 6.00 લાખ સુધીની હોવી જોઈએ
  • ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તારીખ 04/07/17ના રોજ અથવા તે પછી અનુસૂચિત બેંકો પાસેથી પ્રાપ્ત થયેલ શૈક્ષણિક લોન.
  • અન્ય કોઈપણ સરકારી યોજનાનો લાભ મળ્યો નથી.

Points to keep in mind before applying for interest subsidy scheme on education loan | એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજનામાં અરજી કરતા પહેલા ધ્યાને રાખવાના મુદ્દા

  • વિધાર્થી દ્રારા ધોરણ-૧૨ની પરીક્ષા ૬૦% કે તેથી વધુ પર્સેન્ટાઈલ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
  • વિદ્યાર્થીના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • વિધાર્થી દ્રારા ધોરણ-૧૨ની પરીક્ષા આપેલ ન હોય તો તેવા વિધાર્થીઓએ ડીપ્લોમાંના આધારે અરજી કરવાની રહેશે. ડિપ્લોમામાં ૬૦ કે તેથી વધુ પર્સનટેજ મેળવેલ હોવા જોઈએ.
  • ગુજરાત રાજ્યના માન્ય બોર્ડ અથવા માન્ય કેન્દ્રીય બોર્ડની ધોરણ-૧૨ની પરીક્ષા પસાર કરીને દેશ અને વિદેશની માન્ય યુનિવર્સીટીની કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.
  • અભ્યાસક્રમ અર્થે લીધેલ લોનનો ઉપાડ ઠરાવની તારીખ:-૦૪/૦૭/૨૦૧૭ પછી કરેલ હોવો જોઇએ.
    • એજ્યુકેશન લોન શિડયુલ બેંકમાંથી જ લીધેલ હોવી જોઈએ.(શિડયુલ બેંકમાં કઈ-કઈ બેંકનો સમાવેશ થાય છે તેની વિગત વેબસાઈટ પર આપેલ છે. https://kcg.gujarat.gov.in/education_loan/pdf/shedual%20bank%20act%pdf )
  • વિદ્યાર્થી દ્રારા અભ્યાસ માટે લીધેલી લોન પૈકી રૂ.૧૦ લાખ સુધીની લોન પરનું માત્ર વ્યાજ મોરેટોરીયમ પિરિયડ સુધી વિદ્યાર્થીના લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવશે, જો વિધાર્થી દ્વારા વર્ષ દરમ્યાન નિયમિત રીતે વ્યાજની રકમ બેંકમાં ચૂકવેલ હશે તો બેંક પાસેથી તે અંગે પત્રક મંગાવ્યા બાદ જ વિધાર્થીને વ્યાજ સહાય તેના બચત ખાતામાં આપવામાં આવશે.
  • તમામ બેંક દસ્તાવેજોમાં બેંક મેનેજર દ્રારા સહી અને સિક્કા કરેલ હોવા જરૂરી છે અને જો બેંક દ્રારા સહી-સિક્કા કરેલ નહી હોય તો તે દસ્તાવેજ માન્ય ગણાશે નહી.
  • વ્યાજ માફી નાણાકીય વર્ષના અંતે આપવામાં આવશે.
  • વિધાર્થીને આર.બી.આઈ.ની ગાઈડલાઈન પ્રમાણે માત્ર સાદું વ્યાજ ચુકવવામાં આવશે, બેંકો દ્રારા ચક્રવૃદ્ધિ વ્યાજ, અન્ય કોઈપણ પરચુરણ ચાર્જ, અન્ય ફી કે પેનલ્ટી લેવામાં આવી હશે તો તે ચુકવવામાં આવશે નહી.
  • જો કોઈ વિધાર્થીના વાલીની એક નાણાકીય વર્ષ માટે આવક ૬ લાખ કરતા વધુ હોય અને અરજી નામંજૂર થઈ હોય કે અરજી કરેલ ન હોય તેઓની જો પછીના નાણાકીય વર્ષમાં આવક ૬ લાખ કરતા ઓછી હોય તો તેવા વિધાર્થીઓ પણ અરજી કરી શકશે.
  • આ યોજનામાં લોન આપવાની કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને લોનની માંગણી કરવી નહી.
  • મોરેટોરીયમ પીરીયડ અનુસાર વ્યાજ માફી અભ્યાસક્રમ પૂરો થયા પછી એક વર્ષ સુધી ચાલુ રહેશે.
  • વ્યાજ માફીનો લાભ મળ્યા બાદ રીન્યુઅલમાં કયા દસ્તાવેજો જમા કરાવવા તેની વિગત પણ વેબસાઈટ પર આપેલ છે.

Exclusion of Interest Subsidy Scheme on Education Loan | શિક્ષણ લોન પર સબસિડીની યોજનામાં બાકાત

  • અરજદાર વિધ્યાર્થી ગુજરાતના કાયમી નિવાસી હોય.
  •  જો કોઈ વિધાર્થીના વાલીની એક નાણાકીય વર્ષ માટે આવક ૬ લાખ કરતા વધુ હોય તો આ લાભ મળવાપાત્ર થશે નહી.
  • વિદ્યાર્થી જો નાપાસ થાય. અભ્યાસ છોડી દે. લોનની ભરપાઈ કરી દે કે બેંક જાતે જ લોન રદ કરે તો વ્યાજ સબસીડી બંધ કરવામાં આવશે.
  • ભારત સરકાર ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ હશે તો આ લાભ મળવાપાત્ર થશે નહી.

Application Process for Interest Subsidy Scheme on Education Loan |શિક્ષણ લોન પર સબસિડીની યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

નીચેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ અરજી માન્ય થશે જે ધ્યાનમાં રાખવું

  • સ્ટેપ ૧:- અરજદારે http://www.kcg.gujarat.gov.in વેબસાઈટ પરથી એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના માટેના પેજ https://kcg.gujarat.gov.in/educationloan  પર જવાનુ રહેશે.
  • સ્ટેપ ૨:- અરજદારે રજીસ્ટ્રેશન કરી યોજના માટેના આઈડી-પાસવર્ડ જનરેટ કરવાના રહેશે.
  • સ્ટેપ ૩:- ત્યારબાદ અરજીપત્રકમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતો ભર્યાબાદ અરજી સબમીટ કરી એકનોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ કાઢી તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.
  • સ્ટેપ ૪:- તમામ દસ્તાવેજો અને અરજીપત્રક સાથે કેસીજી કચેરીએ બેંક મારફત. રૂબરૂ, કુરિયર અથવા પોસ્ટ દ્રારા મોકલી આપવાના રહેશે.

Points to keep in mind after applying | અરજી કર્યા બાદ ધ્યાને રાખવાના મુદ્દા

 

  • અરજદારે કેસીજીની વેબસાઈટ https://kcg.gujarat.gov.in/education_loan/ પર મુકવામાં આવેલ અરજીપત્રક ઓનલાઈન ભરીને એકનોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ લઈ એકનોલેજમેન્ટ રીસીપ્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડી કેસીજી કચેરીમાં જમા કરવાના રહેશે. જોડવાના થતા દસ્તાવેજોનું લીસ્ટ વેબસાઈટ પર આપેલ છે. અધૂરા દસ્તાવેજો વાળી અરજી સ્વીકારવામાં આવશે નહી.
  • અરજદારને દસ્તાવેજોની ચકાસણી માટે જયારે પણ રૂબરૂ બોલાવામાં આવે ત્યારે ઉપસ્થિત રહેવું આવશ્યક છે.
  • જો વિધાર્થી વિદેશમાં અભ્યાસ કરતો હોય અને વિધાર્થીએ તેના વતી વિવિધ દસ્તાવેજોમાં સહી કરવા તેના માતા/પિતા પૈકી જે ને પણ ઓથોરીટી આપી હોય તો તે પાવર ઓફ એટર્ની માન્ય ગણવામાં આવશે અને વિદ્યાર્થી વતિ માતા અથવા પિતા જ સહી કરી શકશે કે રજૂઆત કરી શકશે અન્ય કોઈને ઓથોરીટી આપી હશે તો માન્ય ગણવામાં આવશે નહીં.
  • તમામ દસ્તાવેજો સેલ્ફ એટેસ્ટેડ હોવા જોઈએ અને Checklist for Document” https://kcg.gujarat.gov.in/education_loan/pdf/Checklist%20of%20Documents.pdf પ્રમાણે ક્રમમાં હોવા જોઈએ. (સેલ્ફ અટેસ્ટેડ દસ્તાવેજો રજુ કરી ન શકે તેવા કિસ્સામાં પ્રમાણીત નકલ (True Copy) રજુ કરવાની રહેશે.)

Documents required for interest subsidy scheme on education loan | એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના માટેના જરૂરી દસ્તાવેજો

જરૂરી દસ્તાવેજોની યાદી

    1. અરજીપત્રક વિદ્યાર્થીની સહી તથા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે
    2. ૧૨ માં ધોરણની માર્કશિટની કોપી અથવા ધોરણ ૧૦ના પરિણામ પરથી જો ડીપ્લોમાંમાં પ્રવેશ લીધેલ હોય તો ડીપ્લોમાની માર્કશીટની કોપી
    3. એપ્લીકન્ટના વાલીના આવકના પુરાવા
    4. ઇનકમ ટેક્ષ રિટર્ન ભર્યાની નકલ અથવા કરપાત્ર આવક ન હોવા અંગેનું સેલ્ફ ડીકલેરેશન ફોર્મ (જો ઇનકમ ટેક્ષ રિટર્ન ભરતા ના હોય તો) (સેલ્ફ ડિક્લેરેશન કેસીજીના નમના પ્રમાણે)
    5. મામલતદાર કે ટી.ડી.ઓ દ્રારા પ્રમાણીત આવકના પ્રમાણપત્રની નકલ
    6. આધાર કાર્ડની નકલ
    7. વિદ્યાર્થી દ્રારા રેહઠાણના પુરાવાની નકલ (પાસપોર્ટ/ ડ્રાઈવિંગ લાઈસન્સ/બેંક સ્ટેસમેન્ટ/રેશનકાર્ડ/ટેલીફોન બિલ/લાઈટ બિલ/વોટર આઈડી-આ માંથી કોઈ પણ એક
    8. બેંક દસ્તાવેજની યાદી
    9. બેંકમાં કરેલ એજ્યુકેશન લોન એપ્લીકેશનની કોપી
    10. બેંક જોડે કરેલ એજયુકેશન લોન અગ્રીમેન્ટની કોપી
    11. લોન પાસ થયાનું પ્રમાણપત્ર બેંક દ્રારા સહી સિક્કા કરેલ( કેસીજીના નમુના પ્રમાણે)
    12. લોન ઉપાડ કર્યાનું પ્રમાણપત્ર બેંક દ્રારા સહી સિક્કા કરેલ(કેસીજીના નમુના પ્રમાણે)
    13. ઈન્ટરેસટ કેલ્કયુલેસનની શીટ(કેસીજીના નમૂના પ્રમાણે)
    14. બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ (જે બેંકમાંથી લોન લીધેલ હોય તે બેંકની)
    15. કેન્સલ ચેકા (જે બેંકમાંથી લોન લીધેલ હોય તે બેંકનો)
    16. નીચે જણાવેલા ડોક્યુમેન્ટની નકલ (વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે જ)
    • પાસપોર્ટની નકલ
    • વીઝા વીઝા લેટરની નકલ
    • કોલેજ/યુનિવર્સીટીના ડોક્યુમેન્ટ જોડેલ છે કે નહી
    • એડમિશન લેટરની નકલ (લેટર તેના લેટરહેડ પર હોવું જોઇએ)
    • યુનિવર્સીટીમાં ફી ભર્યાની રીસીપ્ટની નકલ
    • યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સેલ્ફ ડીકલેરેસન સર્ટીફીકેટ(કેસીજીના નમુના પ્રમાણે)

    નોંધ: તમામ આપેલ ડોક્યુમેન્ટસ સેલ્ફ અટેચડ અને ઉપરમુજબના ક્રમમાં જ હોવા જોઈએ.

શિક્ષણ લોન પર સબસિડીની યોજના

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

1. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના શું છે?

જવાબ: રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધાર્થીઓની કારકીર્દીના ઘડતર માટે આર્થિક સહાય આપવાની યોજના છે.

2. શું આ યોજના માટે અરજી કરવા માટે કોઈ આવક મર્યાદા છે?

જવાબ: હા , આ યોજના માટે અરજી કરવા માટે વિધાર્થીના વાલીની એક નાણાકીય વર્ષ માટે આવક ૬ લાખ કરતા ઓછી હોવી જોઇએ.

3. શું આ યોજનામાં વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને લાભ મળશે?

જવાબ: હા , આ યોજનામાં વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને લાભ મળશે.

4. શું આ યોજનામાં વિધાર્થીઓ ને એજ્યુકેશન લોન આપવામાં આવે છે?

જવાબ: ના , આ યોજનામાં કોઇ પણ પ્રકારની લોન આપવામાં આવતી નથી.

5. વાર્ષિક વ્યાજ ચુકવણી કેવી રીતે અને ક્યા કરવામાં આવશે?

જવાબ: દર વર્ષની 31મી માર્ચના અંતે અરજદારના લોન ખાતામાં વ્યાજ સબસિડી જમા કરવામાં આવશે, વિધાર્થીને આર.બી.આઈ.ની ગાઈડલાઈન પ્રમાણે માત્ર સાદું વ્યાજ ચુકવવામાં આવશે. બેંકો દ્રારા ચક્રવૃદ્ધિ વ્યાજ, અન્ય કોઈપણ પરચુરણ ચાર્જ, અન્ય ફી કે પેનલ્ટી લેવામાં આવી હશે તો તે ચુકવવામાં આવશે નહી.

6. યોગ્યતા માપદંડ શું છે?

જવાબ: વિધાર્થી દ્રારા ધોરણ-૧૨ની પરીક્ષા ૬૦% કે તેથી વધુ પર્સેન્ટાઈલ સાથે પાસ કરેલ હોવી જોઈએ. વિદ્યાર્થીના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. વિધાર્થી દ્રારા ધોરણ-૧૨ની પરીક્ષા આપેલ ન હોય તો તેવા વિધાર્થીઓએ ડીપ્લોમાંના આધારે અરજી કરવાની રહેશે. ડિપ્લોમામાં ૬૦ કે તેથી વધુ પર્સનટેજ મેળવેલ હોવા જોઈએ. ગુજરાત રાજ્યના માન્ય બોર્ડ અથવા માન્ય કેન્દ્રીય બોર્ડની ધોરણ-૧૨ની પરીક્ષા પસાર કરીને દેશ અને વિદેશની માન્ય યુનિવર્સીટીની કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.

7. શું આ યોજના માત્ર ગુજરાતની વિધ્યાર્થી ઓ માટે જ ખુલ્લી છે?

જવાબ:હા, આ યોજના ફક્ત ગુજરાતના રહેવાસી વિધ્યાર્થીઓ માટે જ ખુલ્લી છે જેઓ ઉપર જણાવેલ પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે.

8. કેવી રીતે અરજી કરવી ?

જવાબ: અરજદારે કેસીજીની વેબસાઈટ પર મુકવામાં આવેલ અરજીપત્રક (https://kcg.gujarat.gov.in/education_loan/ )ઓનલાઈન ભરીને એકનોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ લઈ એકનોલેજમેન્ટ રીસીપ્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડી કેસીજી કચેરી, અમદાવાદમાં જમા કરવાના રહેશે.

Leave a Comment

You may also like

Krushi Mahotsav

Krushi Mahotsav

Krushi Mahotsav | કૃષિ મહોત્સવ યોજના ગુજરાતની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે: સોઇલ હેલ્થ કાર્ડ: સરકાર ખેડૂતોને તેમની જમીનના પોષક તત્વોની સ્થિતિને સમજવામાં અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પગલાં ભરવામાં મદદ કરવા માટે સોઇલ હેલ્થ કાર્ડ પ્રદાન કરે છે. સબસિડીવાળા ઇનપુટ્સ: સરકાર ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઇનપુટ્સનો ઉપયોગ કરવા અને તેમની પાકની ઉપજ વધારવા માટે પ્રોત્સાહિત કરવા […]

PM-YASASVI

PM YASASVI Post-Matric Scholarship SCHEME

“PM YASASVI” (PRIME MINISTER YOUNG ACHIEVERS’ SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR EBC, OBC & OTHERS) સ્કીમનું ઉદ્દેશ્ય એ છે કે અધર બેકવર્ડ ક્લાસ (OBC), ઈકોનોમીકલી બેકવર્ડ ક્લાસ (EBC), અને ડિનોટીફાઈડ ટ્રાઇબ્સ (DNT) ના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સહાયતા પૂરી પાડી શકે જેથી તેઓ ટ્યુશન ફી અને અન્ય શૈક્ષણિક ખર્ચ વિના ટોચની સંસ્થાઓમાં શિક્ષણ મેળવી […]

free coaching neet jee

Coaching Assistance Scheme FOR NEET JEE GUJCET

આ યોજના “અનુસૂચિત જાતિ (Schedule Cast) ના વિદ્યાર્થીઓ માટે NEET JEE GUJCET જેવી પૂર્વ-પરીક્ષા તૈયારી માટે “Coaching Assistance Scheme” વર્ષ 2014-15 દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને Coaching સહાયતા પૂરી પાડવાનો છે, તેમાં વિદ્યાર્થીઓ કે જેઓ NEET JEE GUJCET  જેવી પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે તેમને સહાય આપવામાં […]

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp